" નિરાધાર નો આધાર" આશ્રમ દ્વારા પરિવારથી વિખુટા પડેલા દીકરાનું મિલન કરાવ્યું
6.5 هزار بار بازدید -
2 سال پیش
-
હોળી નો પવિત્ર તહેવાર એટલે
હોળી નો પવિત્ર તહેવાર એટલે રંગ ઉમંગ અને ખુશીઓ નો તહેવાર ... એમાં પણ આપણા પરિવાર માં થી વિખૂટું પડેલ સદસ્ય જો 1 અઠવાડિયા પછી જ પરત મળી જાય તો કેવો આનંદ થાય ..એવો જ આનંદ જામનગર ના સોલંકી પરિવાર માં જોવા મળ્યો ..
વેરાવળ સ્થિત નિરાધાર નો આધાર આશ્રમ રસ્તા પર ના માનસિક અસ્થિર અને બિનવારસી વ્યક્તિ ઓને સાચવી સાર સંભાળ રાખી તેમને પરિવાર સાથે મિલન કરાવવાના ઉદ્દેશ્ય સાથે કાર્ય કરે છે.. હોળી ના 5 દિવસ પહેલા એક પ્રભુજી મેલી ઘેલી હાલત માં આશ્રમ વિસ્તાર માંથી મળી આવ્યો હતો ..જે પરિવાર થી ભૂલો પડી ગયો હોય ખૂબ જ રડી રહ્યો હતો અને તેની પૂછપરછ કરતા તે જામનગર નો કમલેશ સોલંકી 19 વર્ષીય હોવાનું માલૂમ થતાં જામનગર માં સેવા સાથી મિત્રો નો સંપર્ક કરી તેના પરિવાર નો સંપર્ક કરવા માં સફળતા મળી હતી ..
જેઓ હોળી નાં દિવસે 17/3/2022 નાં રોજ નિરાધાર નો આધાર આશ્રમ પર તેમના વ્હાલસોયા દીકરા ને લેવા આવી પહોંચ્યા હતા અને સંસ્થા નો દિલ થી આભાર વ્યક્ત કર્યો હતો...
વેરાવળ સ્થિત નિરાધાર નો આધાર આશ્રમ રસ્તા પર ના માનસિક અસ્થિર અને બિનવારસી વ્યક્તિ ઓને સાચવી સાર સંભાળ રાખી તેમને પરિવાર સાથે મિલન કરાવવાના ઉદ્દેશ્ય સાથે કાર્ય કરે છે.. હોળી ના 5 દિવસ પહેલા એક પ્રભુજી મેલી ઘેલી હાલત માં આશ્રમ વિસ્તાર માંથી મળી આવ્યો હતો ..જે પરિવાર થી ભૂલો પડી ગયો હોય ખૂબ જ રડી રહ્યો હતો અને તેની પૂછપરછ કરતા તે જામનગર નો કમલેશ સોલંકી 19 વર્ષીય હોવાનું માલૂમ થતાં જામનગર માં સેવા સાથી મિત્રો નો સંપર્ક કરી તેના પરિવાર નો સંપર્ક કરવા માં સફળતા મળી હતી ..
જેઓ હોળી નાં દિવસે 17/3/2022 નાં રોજ નિરાધાર નો આધાર આશ્રમ પર તેમના વ્હાલસોયા દીકરા ને લેવા આવી પહોંચ્યા હતા અને સંસ્થા નો દિલ થી આભાર વ્યક્ત કર્યો હતો...
2 سال پیش
در تاریخ 1400/12/29 منتشر شده
است.
6,511
بـار بازدید شده