Harsiddhi Mata Temple | હર્ષદ માતા નું મંદિર || moje Gujarat #harsidhhimatamandir

Moje Gujarat
Moje Gujarat
197.6 هزار بار بازدید - 2 سال پیش - Harsiddhi Mata Temple || હરસિદ્ધિ
Harsiddhi Mata Temple || હરસિદ્ધિ માતા મંદિર નો ઇતિહાસ || Harshad mandir || moje Gujarat | dwarka Highway

#harsiddhimatatemple
#mojegujarat
#jaymataji
#Harsiddhimandir
#HarsiddhiMatahistory
#HarsiddhiMatatemplePorbandar
#HarsiddhiMataTemplenearme
#harsidhhimatamandir
#HarsiddhiMataPhoto
#HarsiddhiTempleUjjain
#HarsiddhiMataTempleDwarka
#HarsiddhiMataTempleJamnagar
#Harsiddhimatahistoryingujarati
#harshadmandir

---------------------------------------------------------------------------------
Social Media Links:

You Tube
mojegujaratofficial

Facebook
http://bit.ly/Moje_Gujarat_FB_page

Instagram
http://bit.ly/Moje_Gujarat_Official
----------------------------------------------------------------------------------------

હર્ષદ મંદિર આરતી સમય : સવારે ૯ થી 9.45 સાંજે ૭ થી ૭.૩૦
HARSIDHHI MATA MANDIR DARSHAN TIMING 9.00 A.M TO 9.00 P.M
HARSIDHHI MATA MANDIR AARTI TIMINNG : 9.00  TO 9.45 A.M AND 7.00 TO 7.30 P.M

હર્ષદ મંદિર રાત્રી રોકાણ કોન્ટેક
પરેશગીરી બાપુ ( ગુજરાત ટુરીજમ) :- ૯૯૯૮૬૬૯૯૩૩
દિપક બાપુ (જગડુશાહ ધર્મશાળા) :- ૯૭૧૪૪૩૬૧૩૨
----------------------------------------------------------------------------------------

Who built Harsiddhi Temple Ujjain?
Who is the Kuldevi of Lord Krishna?
How many Shaktipeeth are there in Ujjain?

----------------------------------------------------------------------------------------

Harsiddhi Mata temple Porbandar, Harsiddhi Mata Temple Dwarka, Harsiddhi Mata history, Harshad Mata temple, Harsiddhi Mata Temple, miyani, Harsiddhi Mata Temple near me, Harsiddhi Mata Temple Gujarat, harsiddhi temple, porbandar contact number

Harsidhhi Mata Temple | હરસિદ્ધિ મંદિર નો ઇતિહાસ | કોયલા ડુંગર | માતાજીના પરચા | moje Gujarat

શ્રી હરસિદ્ધિ માતા મંદિર નો ઇતિહાસ

શ્રીકૃષ્ણ ભગવાનનાં કુળદેવી કહેવાતાં હરસિદ્ધિ માતાનું કોયલા ડુંગર પર પ્રાગટ્ય કેવી રીતે થયું તેની કથા એવી છે કે બેટદ્વારકામાં રહેતા રાક્ષસ શંખાસુરને હણવા માટે ભગવાન શ્રીકૃષ્ણએ તેમનાં કુળદેવી હરસિદ્ધિ માતાની કોયલા ડુંગર પાસે પૂજા-અર્ચના કરી. શ્રીકૃષ્ણની ભક્તિથી પ્રસન્ન થયેલી માતા કોયલા ડુંગર પર પ્રગટ થયાં અને શ્રીકૃષ્ણને કહ્યું કે તમે તો ત્રિભુવનના નાથ છો, સર્વશક્તિમાન છો, છતાં મને કેમ યાદ કરી? ત્યારે શ્રીકૃષ્ણએ માતાને વિનંતી કરી કે બેટદ્વારકામાં રહેતા રાક્ષસ શંખાસુરને હણવા માટે મારે તમારી સહાયતાની જરૂર છે. માતાજીએ વચન આપ્યું કે 'જ્યારે તમે છપ્પનકોટિ યાદવો સાથે શંખાસુરને હણવા જશો ત્યારે દરિયાકિનારે ઊભા રહીને મારું સ્મરણ કરશો ત્યારે હું તમને મદદ કરવા આવી પહોંચીશ.

માતાજીના આશીર્વચન પ્રાપ્ત થતાં છપ્પનકોટિ યાદવો અને શ્રીકૃષ્ણએ મળીને કોયલા ડુંગરની ટોચ પર હરસિદ્ધિ માતાનું સ્થાપન કર્યું. કોયલા ડુંગરની ટોચ પર આવેલા મંદિરે જવા માટે ૪૦૦ જેટલાં પગથિયાં છે અને ઉપર પહોંચીને દર્શન કરનારને માતાજીનાં દર્શનની સાથે પ્રકૃતિનું પણ અનેરું સ્વરૂપ જોવા મળે છે, કારણ કે તળેટીમાં અરબી સમુદ્ર દ્રષ્ટિમાન થાય છે. ટોચ પરથી માતાજી નીચે કેવી રીતે આવ્યાં તેની પણ પૌરાણિક કથા ભારે રસપ્રદ છે.

એક એવી લોકવાયકા હતી કે દરિયામાં વેપારઅર્થે નીકળતાં વહાણ જ્યારે કોયલા ડુંગર પાસે માતાજીના મંદિરની સન્મુખ આવે ત્યારે તેમનું સ્મરણ કરીને દરિયામાં નાળિયેર પધરાવવું પડતું, જેથી તેમની આગળની મુસાફરી નિર્વિઘ્ને પાર પડે. એકવાર કચ્છના વેપારી જગડુશા તેમનાં સાત વહાણોમાં માલ ભરીને વેપારઅર્થે દરિયો ખેડવા નીકળ્યા પરંતુ તેઓ માતાજીની સન્મુખ આવતા આહુતિ આપવાનું ભૂલી ગયા એટલે તેમનાં છ વહાણ ડૂબી ગયાં. સાતમું વહાણ બચાવી લેવા માટે જગડુશાએ માતાજીને ભાવભરી પ્રાર્થના કરી, જેનાથી માતાજી પ્રસન્ન થયાં અને વરદાન માગવા કહ્યું. તે જ સમયે જગડુશાએ કહ્યું કે 'માતાજી તમે ડુંગરની ટોચ પરથી તળેટીમાં પધારો અને આજ પછી કોઈનાં વહાણ ડૂબે નહીં તેવું કરો.

માતાજીએ જગડુશાની કસોટી કરવા માટે કહ્યું કે 'જો તું દરેક પગથિયે મને બલિ ચઢાવે તો હું નીચે આવું. જગડુશાએ માતાજીની શરત માન્ય રાખી અને દરેક પગથિયે એક-એક પશુનો બલિ આપતા ગયા, પણ છેલ્લાં ચાર પગથિયાં બાકી હતાં ત્યારે બલિ ખૂટી ગયા એટલે જગડુશાએ પોતાના દીકરા, બે પત્નીઓનો બલિ આપ્યો અને છેલ્લા પગથિયે પોતાનો બલિ આપ્યો. આખરે માતાજી તેમની ભક્તિથી પ્રસન્ન થયાં અને જગડુશા, તેમનો દીકરો, બંને પત્નીઓ તથા તમામ બલિઓને સજીવન કર્યા અને જગડુશાએ માતાજીનું મંદિર ડુંગરની તળેટીમાં બંધાવ્યું. આજે પણ આ મંદિરનું ભારે મહાત્મ્ય છે.
source: shareinindia .in
2 سال پیش در تاریخ 1401/09/07 منتشر شده است.
197,615 بـار بازدید شده
... بیشتر